કેટલાક દસ્તાવેજોની વિધિસર સાબિતી બિનજરૂરી - કલમ:૨૯૪

કેટલાક દસ્તાવેજોની વિધિસર સાબિતી બિનજરૂરી

(૧) ફરિયાદ પક્ષ કે આરોપી કોઇ કોટૅ સમક્ષ કોઇ દસ્તાવેજ રજુ કરે ત્યારે એવા દરેક દસ્તાવેજની વિગતો યાદીમાં જણાવવાની રહેશે અને યથાપ્રસંગ ફરિયાદ પક્ષ કે આરોપીને અથવા બંને પૈકીના કોઇના વકીલ હોય તો તેને એવો દરેક દસ્તાવેજ ખરો હોવા અંગે સ્વીકાર કે ઇનકાર કરવાનુ ફરમાવવામાં આવશે (૨) દસ્તાવેજોની યાદી રાજય સરકાર ઠરાવે તેવા નમુનામાં હોવી જોઇએ

(૩) કોઇ દસ્તાવેજ ખરો હોવા વિશે વાંધો ઉઠાવવામાં ન આવે ત્યારે જે વ્યકિતએ સહી કયાનુ અભિપ્રેત હોય તેની સહીની સાબિતી વિના આ અધિનિયમ હેઠળની કોઇ પણ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહીમાં પુરાવા તરીકે એવા દસ્તાવેજ ઉપર આધાર રાખી શકાશે પરંતુ કોટૅ પોતાની વિવેકબુધ્ધિ અનુસાર એવી સહી સાબિત કરવાનુ ફરમાવી શકશે